સરદારનું ગીત - ૮
સરદારનું ગીત - ૮
વકીલાતના પ્રસંગો (ઈ,સ, ૧૯૦૦થી,,,)
રેલ્વેના એક પોલીસ, જેનો થયેલ કેસ રે;
લાકડાંની કરી ચોરી, નોકરે ચોર વેશ રે,
પુરાવા કાજ શોધે છે, કોઈ સજા થયેલ રે;
પુરાવો જો મળી જાય, તો તેને થાય જેલ રે,
કહ્યું વલ્લભભાઈએ, નવ માસ કબૂલ રે;
વાત સમજવામાં આ, કરે વકીલ ભૂલ રે,
કરી વલ્લભભાઈએ, જોરદાર દલીલ રે;
મળે મા-પેટની જેલ, હો’ જજ કે અસીલ રે,
સાક્ષી સામે અરીસો લૈ, જજ વડે મુકાય રે;
કેમ વલ્લભભાઈથી, આ અનિષ્ટ સહાય રે,
તેઓએ જજને આજે, લાવી દીધેલ ભાન રે;
તે દિનથી કદી’ કો’નું, કર્યું નૈ અપમાન રે,
હકૂમત બરોડાની, રાજા પુત્રવિહીન રે;
રાજા મરી ગયો ત્યારે, રાણી થયેલ ખિન્ન રે,
પ્ર-સૂતિના બહાનાથી, પુત્ર લીધેલ સોડ રે;
દિયરજી કરે વાંધો, નવો આવેલ મોડ રે,
નથી ઓધાન રહ્યાં તો, કયાંથી જન્મે સપૂત રે;
પુત્ર મર્યો જણાવીને, કરાવી સમજૂત રે,
પોલીસ લાલચો આપે, રાજા ગુલાબ કાજ રે;
પણ વલ્લભભાઈ તો, સૂણે નૈ એ અવાજ રે,
એક મુનસફે આવી, દ્વાર બંધ કરેલ રે;
તેથી બધા વકીલોને, અગવડ પડેલ રે,
તેનો વલ્લભભાઈએ, બહિષ્કાર કરેલ રે;
ને બંધ દ્વાર ખોલીને, સમાધાન થયેલ રે,
કેસમાં વ્યભિચારના, ભારે થઈ રમૂજ રે;
કલેકટરને આપી, તેઓએ સૂઝબૂઝ રે,
કલેકટર તો રહ્યો, દારૂમાં ચકચૂર રે;
શિરસ્તેદારને પાઠ, ભણાવ્યો ભરપૂર રે,
**
કોઈ સામે કદી’ તેઓ, જરા પણ ન ઝૂકતા;
નિજ જ્ઞાન કસીને જ, હોડમાં ખૂબ મૂકતા.
(ક્રમશ:)
