શું વિચારોનો વીમો થાય?
શું વિચારોનો વીમો થાય?
વિચારોની ગાડી પુરપાટ ભગાવતાં
જો આગળ અચાનક અથડાય,
વિચારો જો કરે અકસ્માત,
તો શું વિચારોનો વીમો થાય ?
કોકના વિચાર હવામાં સડસડાટ ઉડે,
ને બીજાના સાવ ગોથા ખાય,
વિચાર જો કાપે બીજા વિચારને,
તો શું "એ લપેટ" બોલાય ?
કહેવું હોય કૈંક એકદમ અલગ,
ને સાવ બીજું જ પ્રદર્શિત થાય,
વિચારો જો ખેલે સોગઠું,
તો શું તે "મામા શકુનિ" કહેવાય ?
રોજ પેદા થાય લાખો વિચારો,
ને હજારો રોજ જ નષ્ટ થાય,
વિચારોનો થયો છે વસ્તીવધારો,
તો શું તે પણ "માણસ" કહેવાય ?