વદને છલકતાં શૌર્યબિંદુ
વદને છલકતાં શૌર્યબિંદુ
વીરાંગનાનાં મુખે
ઝાકળ બિંદુ સમું આ આંસુ
કથા બલિદાનની
વર્ણવે શૌર્યગાથા ઘણીની
ભારતીય નારીની
ત્યાગ, વીરતાની વીરગાથા,
શૌર્ય એ છલકાવે
રણમેદાને વીર દહાડે
મક્કમ મનોબળે
યુધ્ધ લડીને કીર્તિ કમાવી
લખ્યો લોહી વહાવી
ઇતિહાસ તલવાર વડે.