પ્રભુમાં વિશ્વાસ
પ્રભુમાં વિશ્વાસ
સૂર્યાસ્ત થતાંજ જાય છે સૌ પોતાના ઘર ભણી,
અરે ! પંખીઓ પણ જાય છે પોતાના માળા ભણી,
પણ તારા જીવનમાં તો નથી સૂર્યોદય કે નથી સૂર્યાસ્ત,
તું તો ધીરે ધીરે જાય છે તારા મોત ભણી,
હે વ્યસની ! હવે તો છોડ તારા વ્યસનો,
કે ઘરની ચીજવસ્તુઓ પણ જઈ રહી છે હવે બજાર ભણી,
ખાલી અમથા ઉપદેશથી શું વળવાનું છે હવે ?
રોગનું નિદાન પણ જઈ રહ્યું જ્યારે કેન્સર ભણી,
કુદરતનાં ખેલની વાતો જ છે 'નિરાલી',
હોય જો પ્રભુમાં વિશ્વાસ તો ભર ડગલાં મંદિર ભણી.