શિવશંકર
શિવશંકર
અનંત રહીને અંતરમાં વસે છે
નિરાકાર બનીને શિવાલયમાં વસે છે.
ગુંજે ધ્વનિ અવિનાશી બની તોયે
ઓમકાર બની હૃદયમાં મહાદેવ વસે છે.
તાંડવમાં રૌદ્ર રુપે, કંઠે વિષધારી તોયે,
નીલકંઠને, નટરાજમાં ભોળાનાથ વસે છે.
ભૂતેશ્વર, નંદી, ત્રિશુળ, વાઘામ્બરધારી તોયે,
રાજા રામનાં ઈષ્ટ બની રામેશ્વરમાં વસે છે.
ધ્યાન, તપ, વૈરાગી, જટાધારી તોયે,
શંકર સ્વરૂપે મહાગૌરી સાથે વસે છે.