વાંસળીની ધૂન
વાંસળીની ધૂન
વાંસળીના સૂર સંભળાય જો
રાધા ઘેલી બની કૃષ્ણને મળવા જાય જો....
આંખોમાં ખોવાણું સ્વપ્ન બની કૃષ્ણ જો
ઘેલું કર્યું ગોકુળ વનરાવન જો,
મોરલાના સૂર સંભળાય જો
ઘેલી રાધાને ગોપી યમુના તળે જાય જો.....
રાસલીલાથી મનમોહક બની જાય રે
કૃષ્ણ રાધાના હૃદયે પ્રેમ સૂર છેડાય રે.....
રાધે કૃષ્ણ રંગે રંગાઈ જાય રે
કૃષ્ણ રાધાના નેણમાં વસી જાય રે....
ગોકુળ છોડી ને કૃષ્ણ મથુરા નગરી જાય રે
કૃષ્ણના ભણકારા ચારો કોર સંભળાય રે,
યાદોમાં દિન રાત વીતે રે
વિહરની વેદનામાં આંસુ અનહદ વહી જાય રે.