સરદારનું ગીત - ર૯
સરદારનું ગીત - ર૯
ગૃહજીવન
હવે વલ્લભભાઈનું, દેશ ઘર બનેલ રે;
ઘર ને ઘરની ચિંતા, બધું ત્યાગ કરેલ રે,
કુટુંબ તરફી પ્રેમ, પહેલાથી રહેલ રે;
હવે કુટુંબ મોટાનો, પ્રેમ વધી ગયેલ રે,
ભણવા સમયે તેઓ, હતા ખૂબ ગરીબ રે;
મહેનત કરી એમાં, ફળ્યું હતું નસીબ રે,
રહેતી ઘરની ચિંતા, તેઓને દિન-રાત રે;
મદદ કરવા ઈચ્છે, તેઓ દરેક વાત રે,
શરૂ કરી વકીલાત, આવક જે કરેલ રે;
એમાંથી ઘરનું દેવું, તેઓએ જ ભરેલ રે,
પોતે વિદેશ જાવાની, તૈયારીઓ કરેલ રે;
મોટાભાઈ ગયા એમાં, પોતે રહી ગયેલ રે,
શિક્ષણ બાળકો માટે, સારું નક્કી કરેલ રે;
અંગ્રેજી શીખવા માટે, મુંબઈ મોકલેલ રે,
આવ્યા વિઠ્ઠલભાઈ ને, પોતે ગયા વિદેશ રે;
ભૂલ્યા નો’તા છતાં તેઓ, ઘરને લવલેશ રે,
આવી વિદેશથી પોતે, બેરિસ્ટરી કરેલ રે;
વહેવા ઘરનો ભાર, સહાયક થયેલ રે,
દેશ કાજે વકીલાત, છોડી કૂદી પડેલ રે;
યોજનાઓ વિચારેલી, બધી જતી કરેલ રે,
સાંસારિક રિવાજોને, સુધારવા મથેલ રે;
સહાયમાં કુટુંબીઓ, લૈ’ આગળ વધેલ રે,
કોર્ટ ને દેશનાં કામે, ઘરે ઓછા રહેલ રે;
પોતાની જેમ જાતે જ, બાળકો ઉછરેલ રે,
આગળ દીકરો તેથી, આપબળે વધેલ રે;
નોકરી છોકરી તેણે, જાતે શોધ કરેલ રે,
બાપનાં પગલે બેટી, સેવામાં વળગેલ રે;
રેંટિયો તેમના માટે, સાથીદાર બનેલ રે,
**
પત્નીનું અવસાન થ્યું’, બીજાં લગ્ન કરેલ નૈ’;
કુટુંબ દેશને માની, રહેલ ઓળઘોળ થૈ’.
(ક્રમશ:)