સરદારનું ગીત - ૩પ
સરદારનું ગીત - ૩પ
બારડોલી સત્યાગ્રહ-૩ (ઈ,સ, ૧૯ર૮)
અનેક કાર્યકર્તાનો, બારડોલી મુકામ રે;
કોઈ સંભાળતા થાણાં, સંભાળે કોય ગામ રે,
કોઈ નાણાં કરે ભેગાં, હામ હૈયે રખાય રે;
ને પ્રકાશનમાં કોઈ, ભૂલી આરામ જાય રે,
પત્રિકાઓ બની ખાણું, લોકો માટે અપાર રે;
અખબારો લઈ એનો, છાપે ઉતાર રે,
કોઈ ટોળી ગલી શેરી, ફરીને ગીત ગાય રે;
ગાઈને ગીત લોકોને, ઉત્સાહિત કરાય રે,
લીધું ઈમામ સાહેબે, મુસ્લિમ કામ હાથ રે;
ને સત્યાગ્રહમાં દેતા, મુસલમાન સાથ રે,
રોઝા રાખેલ તેઓએ, છતાં ફર્યા અથાગ રે;
મુસ્લિમ કોમમાં તેઓ, બની ગયેલ નાક રે,
બહેનો પણ આ જંગે, પાછી નો’તી પડેલ રે;
શૂર દેવા બહેનોને, બહેનોય ફરેલ રે,
કામ વલ્લભભાઈનું, રાખવી દેખરેખ રે;
પછી આવી શકે એમાં, મારવા કોણ મેખ રે ?
એમાં વળી મહા માસે, લગનો ખૂબ થાય રે;
લોકોને ચેતવા તેથી, પત્રિકાઓ કઢાય રે,
લડત સમયે આવા, જલસા ન કરાય રે;
લગ્નો બધાં તમારે આ, ટૂંકે કરી નખાય રે,
બનવું પડશે સૌએ, સંપીને એકરાગ રે;
મોજ-શોખ બધું છોડી, રહેવાનું સજાગ રે,
સરકારે ઘણો મોડો, જવાબ મોકલેલ રે;
ધમકીના ઘણા શબ્દો, પત્રમાં વાપરેલ રે,
હવે વલ્લભભાઈને, ગુસ્સો ખૂબ ચડેલ રે;
તેથી કાગળ તેઓએ, ધારદાર લખેલ રે,
બધો કાગળ વેવાર, છાપામાં મોકલાય રે;
ને સરકારની ભૂલો, છતી કરી નખાય રે,
**
કોઈ વલ્લભભાઈને, છાપાંઓમાં વગોવતા;
ને ગાંધીજી અને અન્ય, વખાણતાં ન થાકતા.
(ક્રમશ:)