પ્રેમનો સાર
પ્રેમનો સાર
લાગણી નીતરતાં હૈયાનું સૌંદર્ય એ પ્રેમ છે,
નયનોથી થતી વાતોની ભાષા એ પ્રેમ છે,
વણકહે પણ સઘડું સમજાય એ પ્રેમ છે,
જીવન જેના વિના અધૂરું લાગે એ પ્રેમ છે,
થોડું છોડવામાં બમણું મળી જાય એ પ્રેમ છે,
સુખદુઃખરૂપી ઘટમાળમાં ચિરશાંતિનો અહેસાસ એ પ્રેમ છે,
કોમળ હૃદયતણી લાલિમાની અભિવ્યક્તિ એ પ્રેમ છે,
દિવાસ્વપ્નમાં પણ જેની અનુભૂતિ થાય એ પ્રેમ છે,
સ્વયં ભગવાન પણ જેને વશ થઈ જાય એ પ્રેમ છે.
