પોતાની નજરમાં
પોતાની નજરમાં
પોતાની નજરમાં સાચા હોવું એજ મોટી વાત છે,
ભલે ને દુનિયાને
કહેવું હોય તે ભલે કહે !
અંતરમનથી પ્રામાણિક હોવું
એજ તો ગર્વમય વાત છે,
ભલે ને કોઈ
આરોપ અનેક લગાવે !
સંકટ સમયે મદદરૂપ થવું,
એજ તો સાચી માનવતા છે;
ભલે ને કોઈ,
સંકટોની માયાજાળ અનેક રચે !
દુઃખ સમયે ધીરજ ધરીને કર્મ કરવું
એજ તો સાચી પરીક્ષા છે;
ભલે ને દુઃખ
અનેક પ્રકારે વરસતા રહે !
