ફરિયાદ !
ફરિયાદ !
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
1 min
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
184
હે શૂલપાણિ, કહેવાતા ત્રિકાળજ્ઞાની ને જગદ્દગુરૂ,
તમને શું સૂઝ્યું કે એક બાળકનો શિરચ્છેદ કર્યો ?
નાનો ને નિર્દોષ બાળ, મનથી એ ભોળો હતો,
ખૂંદવાને તેને તો માં પાર્વતીનો ખોળો હતો.
વક્રતુંડ મહાકાય ને ગણોનાં પતિની પદવી આપી,
છેતરતા તો નથીને ખુદને ઓ શંકર વિષધારી ?
નાની શી ભૂલને તમે અનંતકાળમાં બદલાવી,
જગતનાં શ્રેષ્ઠ પિતા થવામાં કેમ જરા કસર રાખી ?