નાસ્તિક
નાસ્તિક
આ
એ જ
પર્વત
છે કે જેની
પરિક્રમા મેં
કરી અને મને
શાંતિની અનુભૂતિ
થઈ, પણ એ પોકળ
સાબિત થઈ જ્યારે મેં ત્યાં
કેટલાંય દર્શનાર્થીઓને
રોપ- વે નું દોરડું અચાનક
તૂટતાં ખીણ માં ગરકાવ થતાં
જોયા ને એમની મરણતોલ ચીસો
સાંભળતા જ મારું મન અશાંત થઈ
ગયું, ભગવાન પરથી આસ્થા ડગી ગઈ
મારી ને આસ્તિકમાંથી હું નાસ્તિક થઈ ગઈ.
#TravelDiaries