મૃત્યુ પછીનું જીવનનો સાર
મૃત્યુ પછીનું જીવનનો સાર
આમ તો મૃત્યુ પછી ચારે તરફ હોય છે સગા વ્હાલાનું માતમ
મૃત્યુ પછીનું જીવન એક રહસ્યભર્યું ભેદભરમ છે,
ખરેખર મૃત્યુ એ ધ એન્ડ નથી, મૃત્યુ તો છે એન્ડ
જીવ પામે છે બીજી યોની, એવા ધાર્મિક અભિગમ છે,
સારા કર્મો કર્યા હોય એને મળે સ્વર્ગ, ખરાબ કર્મોવાળાને નર્ક મળે
મૃત્યુ પછીનું જીવન અંગે ધર્મો દાખવે આ નિયમ છે,
મૃત્યુ તો શરીર પામે છે, આત્મા તો છે અજર અમર
ધર્મો સમજાવે મૃત્યુ પછીના જીવનનો આ જ ક્રમ છે,
મૃત્યુ જીવનના ચક્કરને સમજવામાં કાઢી નાખ્યું જીવન
મૃત્યુ પછીનું જીવન હશે કેવું, ક્યાં સાચી ફોડ પાડી શક્યો કોઈ ધરમ છે,
સત્કર્મો કરો જીવતા જીવ એવા કે, લોકો યાદ કરતા રહે મૃત્યુ પછી પણ
ખરેખર તો કરેલા સત્કર્મો જ મૃત્યુ પછીના જીવનની સાચી સરગમ છે.