કોણ સમજે
કોણ સમજે
નિમિત્ત બન્યા અમે ભગવાનના,
મા અને ડૉક્ટર આ ધરતી પર,
નિ:સ્વાર્થ સેવા જેની અપરંપાર,
અમર થયાં ધરતી પર મા ને ડૉક્ટર,
કરતા અમે સેવા નિ:સ્વાર્થ ભાવથી,
જન્મથી મરણ સુધી,
મળ્યું અમરત્વ ધરતી પર માને,
પરંતુ, કોણ સમજે વ્યથા ડૉક્ટરની ?
સેવામાં ન જોયા દિન - રાત,
કરતા દિલથી સેવા મરીજની,
કરી સમર્પણ જિંદગી મરીજ નામ,
થઈ જતું જો સારુ મરીજને,
તો અમને જ સમજતા સૌ ભગવાન,
પણ, કથળતી હાલત જો મરીજની,
તો અમે જ કહેવાતા
નિર્દય પાપી અને બેદરકાર,
કોણ સમજે વ્યથા ડૉક્ટરની ?
