ભોલેનાથ
ભોલેનાથ
મોત થઈને આવે તો ભગવાન કોને કહેવાનું ?
અસ્તિત્વ તારું સમજાવ અમને,
બસ હવે બહું થયું તું જ સાંભળ અમને
તારે મારવા જ છે ને કહી દે અમને,
પણ એક સાથે મારવા હોય તેટલા મારી નાંખને
આ રોજ રોજ મારે છે તે નથી ગમતું,
શ્રાવણ માસે શા સારું પજવા તને
વિનંતી કરીએ અરજ કરીએ તોય તું ના ગાંઠે અમને,
આ રોજ રોજ જોડવાના હાથ તે નથી જોવાતું,
ભોળો તું ભોલેનાથ થઈ આમ બાળે અમને,
માન્યો દેવાધિદેવ તને આમ રાક્ષસ જેમ ના માર બધાને,
આ કોરોના મરે તો માનીએ બાકી નથી સહેવાતું,
પ્રભુ તને પડકાર્યો કરી પ્રાર્થના હવે ના ડરાવ અમને,
જાણી લીધો તું જ સજા દે કોરાના ને દૈ ભગાડને,
તું ધરાણો નથી રોજ રાખથી એ નથી ફાવતું
તને બેસાડ્યો મંદિરિયામાં હવે તો સહાય કરને,
તડપાવી તરસાવી ને જીવ લઈલે પ્રભુ થઈને
ગુસ્સે થઈને તાંડવ આદરે તે નથી પરવડતું.
