ભગવાનને પ્રશ્ન
ભગવાનને પ્રશ્ન
1 min
514
આવો તો ભગવાન એક પ્રશ્ન પૂછું આપને,
આ માનવ અવતાર આપી આપ્યું લાલચું દિલને.
કામ, ક્રોધ, મોહ, લોભમાં લાગે ના કંઈ પ્યારુ,
કાયાની, માયામાં, મૃગજળની છલના લાગે પ્યારુ.
જુગ જુગથી ભટકું હું આ મોહજાળમાં,
માણસાઈ કેમ મરી પરવારી આ મોહજાળમાં.
કરો કૃપા ભાવના ઉપર ભગવાન પ્રશ્ન એક પૂછું,
શા માટે જૂઠા જગતના મૂળમાં રાખ્યાં એ પ્રશ્ન પૂછું.
આપો અંતરયામી દિવ્યતાના તેજ ને ઉગારો,
ભ્રમમાં હું તરસે મરુ ભગવાન આવીને ઉગારો...