દર્
દર્
હૈયે દુઃખોનું સરોવર ભરાયું હતું,
તે છતાં હોઠે સ્મિત રેલાયું હતું.
ચોમેર ખીલી હતી વસંત પરંતુ,
જીવનમાં પાનખર પથરાયું હતું.
આ સ્વાર્થી લોકોની વચ્ચે રહીને,
મને મારું ભોળપણ ભૂલાયું હતું.
તે કરેલ ઢોંગ અને ઠગાઈ જોઈને,
ભોળું શ્વાન પણ લજવાયું હતું.
હૈયાને સમજાવીને "સરવાણી"એ,
આ કવિતામાં દર્દને છલકાવ્યું હતું.

