ઇન્દ્રધનુષ
ઇન્દ્રધનુષ
ભાવોની મહેફિલે શબ્દ રંગ બની ઉડે છે,
પીડાની વ્યથા શબ્દ બની રંગ છલકે છે,
હ્રદયના નીતરતાં ભાવોની ભૂલ શું છે ?
શબ્દ ભાવરંગી એમાં પણ વ્યથા મહેંકે છે
બદલે ના ઉડેલ શબ્દ, ફેર સમજમાં છે,
શબ્દ તો ભાવ હતા, ભાવાર્થમા ફેર છે,
શબ્દ ભ્રમ નથી આ મતલબ છે,
મોહની ભાષામાં પણ શબ્દને ખેદ છે,
કલમેથી નિતરતા શબ્દો માયાજાળ છે,
આભની અટારીએ સજેલ શણગાર છે,
લાગણી શણગારે એ શબ્દ અભેદ છે!
હોય જો શબ્દ ભાવભીના ઈશ્વર પણ કેદ છે.

