કવિ અવકાશયાત્રીને મળ્યા
કવિ અવકાશયાત્રીને મળ્યા
એક કલ્પનાશિલ કવિ અને એક અવકાશયાત્રી
બન્ને જ્યારે એકબીજાને મળ્યા હશે
ત્યારે એ બન્નેની વચ્ચે
કંઈક આવો સંવાદ સર્જાયો હશે
*કવિ:*
તમે તો ખરેખર જ ચંદ્ર પર પહોંચી ગયા,
પણ હું તો સૂરજ પર જવા માંગુ છું,
તમે ચંદ્ર પરથી સુખરુપ પાછા આવી ગયા,
હું પણ તો સૂરજ પરથી પાછો આવવા માંગુ છું,
*અવકાશયાત્રી:*
તમે આ કેવી વાત કરી રહ્યા છો ઓ મિત્ર!
તમે કેવી ગજબની કામગિરી કરવા માંગો છો,
ભઈ, અમે તો શિતળ ચંદ્ર પર ગયા હતા,
તમે લાવા કરતા ઉષ્ણ સૂરજ પર જવા માંગો છો?
*કવિ:*
તમે તો ચંદ્ર પર સ્પેસ સૂટ પહેરીને ગયા હતા,
હું બંકર ગિયર પહેરીને સૂરજ પર જવા માંગુ છું,
હું જાણું છું કે સૂરજમાં ખૂબ જ આગ છે,
જૂનૂન છે કે લાવામાં ઓગળી જવા માંગુ છું,
*અવકાશયાત્રી:*
ભાઈ ઊનાળામાં ખુબ તડકો હોય છે,
એ તડકો તો માંડ સહન કરી શકો છો,
એમ છતાય ઉત્સાહમાં આવી કહો છો,
કે તમે એ ગરમી સહન કરી શકો છો!
*કવિ:*
હું માનું છું કે દિવસે ખુબ તડકો લાગે છે,
એટલે જ હું ત્યાં રાત્રે જવા જવા માંગું છું,
અરે ભાઈ તમે તો ખરેખર ચંદ્ર પર ગયેલા,
મારી 'કલ્પ'નાથી હું સૂરજને અડવા માંગુ છું,
એ કહેવત તો તમે સાંભળી જ હશે
"જ્યાં ન પહોંચે રવિ, ત્યાં પહોંચે કવિ."