વિચારોનું ક્યાં કોઈ સરનામું હોય છે
વિચારોનું ક્યાં કોઈ સરનામું હોય છે
વિચારોને ક્યાં કોઈ સરનામું હોય છે,
કાલ્પનિકતામાં જ બસ એ તો મગ્ન હોય છે,
ના જાણે કેટલા ભ્રમનું રહસ્ય હોય છે,
વાસ્તવિકતામાં વિચારનું ક્યાં કોઈ મહત્વ હોય છે,
ક્ષણભરમાં બદલાઈ જાય તેવું તો તેનું સ્વરૂપ હોય છે,
છતાં ભ્રમિત કરે માનવીને તેવો તો તેનો પ્રભાવ હોય છે,
વિચારોને પણ ક્યાં કોઈ સરનામું હોય છે.