સરદારનું ગીત - ૩૦
સરદારનું ગીત - ૩૦
બોરસદના રાજા (ઈ,સ, ૧૯ર૪)
લેવા કોંગ્રેસમાં ભાગ, કોકોનાડા ગયેલ રે;
ત્યાં અમુક ઠરાવોના, વિરોધમાં રહેલ રે,
ત્યાંથી આવી ગયા પાછા, બોર્સદ હરખાય રે;
લડતમાં થઈ જીત, ઉત્સવ ઊજવાય રે,
ગાંધીજીનેય તે રાતે, જેલમુકત કરાય રે;
તેથી ઉત્સવમાં લોકો, ખૂબ પાગલ થાય રે,
ગાંધીને મળવા તેઓ, દવાખાને ગયેલ રે;
આવો બોર્સદના રાજા, ગાંધીજીએ કહેલ રે,
લખેલ લેખ ગાંધીએ, પ્રશંસાથી ભરેલ રે;
એમાં વલ્લભભાઈની, કામગીરી લખેલ રે,
ઈતિહાસ થયો એવો, શોભશે ગુજરાત રે;
હતી વલ્લભભાઈની, મે’નત દિન-રાત રે,
ઉપયોગી થયો તેનો, કાર્યદક્ષા વિચાર રે;
હતો મળેલ તેઓને, લોકોનો સહકાર રે,
બોરસદે લડાઈમાં, માન-અર્થ રહેલ રે;
તેથી ઝળકતી એમાં, પૂર્ણ જીત મળેલ રે,
સત્યાગ્રહી નહીં બેસે, પગવાળી લગીર રે;
તેથી સુધારણા માટે, બની રહેલ અધીર રે,
લડત કરવા સાચી, થવાનું સાવધાન રે;
વિદેશી કપડાંઓની, થાય બંધ દુકાન રે,
કપડાં એક ખાદીનાં, એ સિવાય હરામ રે;
દારૂ અફીણ ગાંજાનું, કોઈ લે નહિ નામ રે,
આવું બધું બને તો જ, સાચું કામ ગણાય રે;
સૌ બાળકો વિના ભેદ, શાળાએ સાથ જાય રે,
પછી વલ્લભભાઈએ, ગંભીર થૈ’ કહેલ રે;
બોરસદે રહી એને, ખૂબ મેં ઓળખેલ રે,
બળ કે ખોડ-એબોને, જોયેલ આરપાર રે;
ઠરાવ કરતાં એનો, કરી લેવો વિચાર રે,
**
’અંધ ભગત ગાંધીના’, ઈલકાબ મળી ગયો;
તોયે વલ્લભભાઈને, નો’તો ખેદ કશો થયો.
(ક્રમશ:)