સ્મૃતિ સાહચર્ય
સ્મૃતિ સાહચર્ય
ના વિસ્મરું કો'દિ અતીતરાગને,
સ્થાપી ચહ્યો અંતરમાં હંમેશનો.
સંવાદ છે અંકિત કર્ણના પટે,
ટોળે વળી સ્મૃતિ કણો ધરી રહે.
ચાલી ગયાંની રજ જે ખરી જરા,
એ છાપ આહીં અળગી જણાય છે.
છોડી નિશાની પવનો વહી ગયા,
નિ:શબ્દ પર્ણો જ થયાં વૃક્ષ તણાં.
કેવાં હતાં સ્પંદન રોમરોમમાં,
આ જિંદગી આહત એટલી જ છે.
છેટું રહે જેમ જ આભને ધરા,
માર્ગ ગળે છે પગલાં, ભુખાળવો.
વીતી હતી સાહચર્ય મળી પળો,
મારાપણાથી સરતી રહે હવે.