પ્રાર્થના થકી
પ્રાર્થના થકી
મળે સાચો આનંદ પ્રાર્થના થકી,
મળે હૃદયને ચેન સૂકુન પ્રાર્થના થકી,
ઈર્ષ્યા, મદ, અહંકાર જેવી વિકૃતિ નાશ પામે પ્રાર્થના થકી
હૃદય નિર્મળ બને પ્રાર્થના થકી,
સ્વાર્થ થાય હૈયેથી દૂર,
ભાવના નિર્મળ બને પ્રાર્થના થકી,
દુર્ગુણો બધા ભાગે એમ જેમ સૂરજના આગમનથી અંધારું,
આ પ્રાર્થના થકી,
દુઃખમાં પણ આત્મવિશ્વાસ જાગે,
આ પ્રાર્થના થકી.