ના, ખોલશો કવિના હૃદયને
ના, ખોલશો કવિના હૃદયને
ના, ખોલશો કવિના હૃદયને
મળશે ત્યાં શબ્દો તણા ભંડાર
ઊર્મિઓનાં આધાર, અને
છલકતી હશે કવિતાઓમાં
ઉષા, સંધ્યા અને સંવેદનાઓ,
પંખીના ગીતો, ફૂલોનો પમરાટ
ભ્રમરના ગુંજાર જેવો
હશે, ત્યાં શબ્દોનો ચળકાટ,
હોય કવિતા, ગઝલ કે અછાંદસ
ખળખળ વહેતો મળે
નદી કે ઝરણ જેવો
અસ્ખલિત પ્રવાહ શબ્દો તણો,
ભલા થઈને ન ખોલશો એ કવિ હૃદય
જો ખોલશો, તો, બોલશે એ કવિ હૃદય,
કે હું તો કવિ થઈને
કવિતામાં જીવતો રહીશ.