કોરોનાના સગા
કોરોનાના સગા
નેતા લોકોના આક્રમણ સામે, સંક્ર્મણનું શું કામ છે ?
નેતા બોલાવે સભાઓ પણ સરેઆમ છે,
કોરોનાકાળમાં પણ કરાય છે ધાર્મિક મેળાવડાઓ
ધર્મના નામે ધર્માધિકારીઓ થાય બેફામ છે,
કરે છે નિયમોનું ઉલ્લંઘન સામાજીક પ્રસંગો નિમિત્તે
પછી કરાવે બધાને દોડધામ છે,
એ લોકોને તો નથી ઉપરવાળાનો ડર જરા પણ
ભાવ વધારો કરીને લૂંટનારાનું કઈ જાતનું હાડચામ છે,
નાની નાની સુરક્ષાની વાતોનું નથી થતું પાલન
એટલે તો કોરોનાની બીજી અને ત્રીજી લહેરનું આ અંજામ છે.
