ઘવાયેલી ક્ષણો
ઘવાયેલી ક્ષણો
શ્વાસના મેદાનમાં હર ક્ષણ ઘવાતી જાય છે.
અહીં વ્યક્તિ મરતાં - મરતાં જીવે છે, ને જીવતા -જીવતા મરી જાય છે.
અહીં કોઈને ખબર નથી, કે કોનું શું થશે ?
એક વ્યક્તિ ઓક્સિજન પર જીવી જાય છે,
તો બીજી વ્યક્તિ પૂજા કરતાં મરી જાય છે.
શ્વાસના મેદાનમાં..
કરોડપતિ અબજોપતિ બનવાનાં મોહમાં,
એક નવી ફેકટરી ખોલે છે ત્યારે,
ત્યાં દૂર કોઈ ખૂણામાં એક ગરીબ એક ટંકના,
ભોજન વગર મરી જાય છે.
શ્વાસના મેદાનમાં..
આજના સમાજમાં કૃષ્ણ, અર્જુન કે રામ
જોવા પણ નથી મળતા,
જયારે, કેટલાય દુશાસનો દ્વારા કેટલીય દ્વોપદીઓના ચીર ખેંચાઈ જાય છે.
શ્વાસના મેદાનમાં..
આતંકવાદ આપણા દેશમાં અત્યારે એટલો બધો વધી ગયો છે કે,
કોઈપણ વ્યક્તિ 'હું હિંદુ છું' તેવું કહેતા
ખચકાઈ જાય છે.
શ્વાસના મેદાનમાં..
હવે રામરાજ્ય લાવવા માટે, જરૂર છે એક રામની,
પણ, પોતાની કલ્પના બહારના કળિયુગને જોઈને,
ભગવાન પણ જન્મ લેવાના વિચારથી ડરી જાય છે.
.. શ્વાસના મેદાનમાં હર ક્ષણ ઘવાતી જાય છે.
#TravelDiaries
