કરુણતા
કરુણતા
જીવવું થયું છે દોહ્યલુ, જેણે નીજ બાળ ગુમાવ્યા છે,
જીવવું થયું છે દોહ્યલું જેણે મા - બાપ ગુમાવ્યા છે,
ખબર ક્યાં હતી એકબાજાને અલવિદા કહી દેશે,
આજ આ ઝુલતા પુલે ઘણાને નિરાધાર બનાવ્યા છે,
મેળવી ઘણાએ કાળા કામ કરીને સંપતિ ઘણી,
ને આજે એજ પુલે ઘણાને મોતને ઘાટ ઉતાર્યા છે,
માનવી આજે માનવી મટી રાક્ષસી બન્યો છે,
નીજ સ્વાર્થ ખાતર કોઇના પ્રાણ હર્યા છે.