પુષ્પબાળ
પુષ્પબાળ
શું કસુર હતો એ નાજુક પુષ્પનો,
કોઈના પ્રેમ ખાતર બલિદાન દીધું,
કળી હતી ને ખીલવા થનગની હતી,
ખીલીને પુષ્પ બની ચમનનું દિલ જીતી લીધું,
ખીલેલા પુષ્પને તોડ્યું ડાળીએથી,
ને જશ લેવા હરિચરણમાં ધરી દીધું,
ના માંગણી, ના અપરાધ કાંઈ છતાં
પુષ્પબાળને અનાથાશ્રમમાં ધકેલી દીધું.