STORYMIRROR

Katariya Priyanka

Tragedy

4  

Katariya Priyanka

Tragedy

પૂછી જો

પૂછી જો

1 min
233

તનહાઈ કેવી કોરી ખાય મનને,

એ કોઈ એકાંતે જીવનારને પૂછી જો.


પાનખરે ખરતાં પુષ્પની પીડા,

એની એ હાલત ફિઝાને પૂછી જો.


ભીડમાં એકલતા કેવી ખૂંચે,

એ મિત્ર છોડી જનારને પૂછી જો.


પારકા પણ બની જાય મૂલ્યવાન,

એ પોતાનાઓ વિના રેહનારને પૂછી જો.


એકલતાના અંધારા માર્ગે જીવન કાપવું કેમ,

એ તો કલમનાં સહારે જીવનારને પૂછી જો.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy