નિજાનંદ
નિજાનંદ
નિજાનંદમાં રહેવું, એ જ છે સુખી થવાની સરળ રાહ
નિજાનંદમાં રહેવાવાળા હોય છે શાહો ના શાહ
નિજાનંદ મસ્તી હોય છે હમેશ અલૌકિક
દરેક સંતોનો ઇતિહાસ છે, નિજાનંદ મસ્તીનો ગવાહ
અચ્છા ખાસા ભટકીને, રાહ જોતા હોય છે પ્રસંશાની
નિજાનંદ જ છે સાચો આનંદ, બાકી ચાર દિનની ચાંદની છે ‘વાહ વાહ’
બહારની દુનિયાની ઉલઝન, આપે છે હંમેશ દાહ
સુખી થવા માટે તો, અંદરથી કેળવવી પડે નિજાનંદની ચાહ.