સાચી સમજ
સાચી સમજ
સાચી સમજ છે રાહબર, સાચી સમજ જિંદગીમાં સાચા સુખનો આધાર છે,
બંનેની સમજો ભેદરેખા, સમજ રાખે જાગૃત, ગેરસમજમાં અજ્ઞાનનો અંધકાર છે,
મોટા થોથા કે ધર્મ ગ્રંથોને ઉથલાવવાની જરુર નથી લગી રે, સાચી સમજ પામવા
નાની નાની લાગતી વાતો ઉપર પણ સુખે જિંદગી જીવવાનો મદાર છે,
પોતાનો વાંક હોય ત્યારે તો, પોતાને સહન કરવાનું છે, એ છે સામાન્ય સમજ
પોતાના વાંક વગર પણ સહન કરવું પડે તો કર, એમાં સાચી સમજનો રણકાર છે,
બિમારીને લીધે દુનિયા અને દુનિયાવાળા થઈ રહે છે આપણા માટે બેકાર
નિરામય હોય આરોગ્ય ત્યાં સુધી જ, જિંદગી જીવવામાં સાર છે,
કોઈ પણ ધર્મ, પંથ કે સંપ્રદાયને અનુસરો, આખરે થાય છે એટલું પુરવાર
માનવ ધર્મ છે સહુથી શ્રેષ્ઠ, માનવતામાં જ ભગવાનનો થાય સાક્ષાત્કાર છે,
અયોગ્ય ધાર્મિકતા અને ખોટી રીતના ધર્મ દોરી જઈ શકે છે કટ્ટરતાવાદ તરફ
આધ્યાત્મિકતાની સમજ છે સાચી, આધ્યાત્મિકતા ખોલે આત્મજ્ઞાનના દ્વાર છે,
દુનિયાભરની હરીફાઈઓમાં, દુનિયાવાળા સામે થઈ જવાય છે થાકીને તાર તાર
અંતે સમજ આવે કે, હોડ છે જાત સાથે જ અને જાત જેટલો જ દુનિયાનો વિસ્તાર છે
‘સૌરભ’, દુનિયામાં જે જે બોજનો આપણે માથે લઈને ફરીએ છે ભાર, યાર
એ બોઝને ઉતારી દો માથા પરથી, એમાંથી તો માત્ર આપણને થવાનું પસાર છે.