ગુણકારી અજમો
ગુણકારી અજમો
જો નાક હોય બંધ કે પેટ કરે તંગ,
તો અજમો રાખો હંમેશા તમારી સંગ,
શરદી હોય કે ખાંસી ને કફ સતાવે તમ,
તો અજમાનો નાસ બતાવે તરત તેનો રંગ,
વાત કફને નાથે પણ પિત્ત વધારે સંગ,
માટે અજમાનો ઉપયોગ કરો ઘી ને સંગ,
પેટનો ગેસ હોય કે અપચો જેને સંગ,
અજમો ને સંચળ બતાવે તરત તેનો રંગ,
થાયમોલ ને કારવૉક્રોલ છે સત્વ જેનામાં,
તે અજમો આપે રક્ષણ ફૂગ જર્મનાં ઇન્ફેક્શનમાં,
રેસાયુક્ત એ તો કમાલનું એન્ટીઓક્સીડન્ટ,
કેલ્શિયમ આયર્ન આપે, વધારે પોટેશિયમ ને સંગ.