વરસાદ ભીંજવશે
વરસાદ ભીંજવશે
વરસાદ ભીંજવશે
અને
પવન તરત આવશે
તન સૂકવવા
પણ
મનની ભીનાશ
કોરી ન કરવી
કેમ કે
કોરું મન અને રણ
સરખાં છે.
જો કે
રણમાં થોર તો ઊગે છે
ને
મનમાં તોર ઊગે
એ માટે
ભીની આંખની ભીનાશ
સિવાય બીજો
સબળ વિકલ્પ નથી...
હા...
પણ
અશ્રુ તો હર્ષના પણ હોય છે
એ સિવાય
આપણે અને રણ
સમાન છીએ...
