સુદર્શનચક્ર
સુદર્શનચક્ર
પૌરાણિક કથાઓમાં સુદર્શનચક્ર વિષ્ણુ ભગવાન પાસે હોય છે,
ભગવાન શ્રી કૃષ્ણ વિષ્ણુ ભગવાનના અવતાર હોવાથી એમની પાસે પણ સુદર્શનચક્ર હોય છે,
એક પૌરાણિક કથા અનુસાર ભગવાન વિષ્ણુએ ભગવાન શિવની આરાધના કરીને મહાદેવને પ્રસન્ન કરેલા હતા,
રાક્ષસના વધ કરવા માટે માર્ગદર્શન માંગતા મહાદેવજી પ્રસન્ન થાય છે અને વિષ્ણુ ભગવાનને સુદર્શનચક્ર આપે છે,
તેમજ સુદર્શનચક્રની વિશેષતા પણ બતાવે છે,
મહાદેવજી એ આવા કેટલાય દૈવી અસ્ર શસ્ર દેવતાઓને રક્ષણ માટે આપેલા હતા,
આમ મહાદેવજી એક અદ્ભુત વૈજ્ઞાનિક છે,
સમષ્ટિના કલ્યાણ માટે જરૂરિયાત મુજબ દિવ્ય અસ્ર શસ્ર દેવતાઓને આપતા હોય છે,
એક પૌરાણિક વાર્તા મુજબ સુદર્શનચક્ર ઘણા પ્રકારના હોય છે,
જેમાં નવ આરી વાળા,સાત આરી વાળા તેમજ પાંચ આરી વાળા પણ હતા,