સરદારનું ગીત - ૧૬
સરદારનું ગીત - ૧૬
ખેડા સત્યાગ્રહ-૩ (ઈ,સ, ૧૯૧૮)
બને જાગૃત લોકો જો, એતો કેમ સહાય રે;
અમલદાર સાહેબો, તેથી ખૂબ ચિડાય રે,
હુકમ રોકવા માટે, વિનંતીઓ કરાય રે;
પણ સાહેબલોકોથી, એ કેમ સમજાય રે,
ઊલટો દોષ તેઓથી, સેવકોને અપાય રે;
સેવકો નજરે તેની, બહારના ગણાય રે,
સત્ય બતાવવા માટે, કદીયે ન ડરાય રે;
ખોટી તપાસ માટેનું, સા’બને ભાન થાય રે,
ગાંધી અન્યાય જોઈને, ખેડા આવી ગયેલ રે;
લોકોને ન્યાય લેવાને, ઝઝૂમવા કહેલ રે,
સ્વતંત્ર નીમવા પંચ, રજૂઆત કરેલ રે;
નીમવા પંચ સાહેબ, તૈયાર ન થયેલ રે,
જમીન ખાલસા માટે, નોટિસ બજવાય રે;
છતાં દેવા મહેસૂલ, કો’ તૈયાર ન થાય રે,
સત્યાગ્રહ વિના કોઈ, હતો નહિ ઉપાય રે;
હવે વલ્લભભાઈ તો, ખૂબ સક્રિય થાય રે,
ગાંધી-વલ્લભ લાગ્યા છે, કરવાને તપાસ રે;
કલેકટર તો તોયે, માફી કરે ન પાસ રે,
ને સમાધાનનાં દ્વારો, બંધ થયાં તમામ રે;
લીધા વિના હવે ન્યાય, લેવો નો’તો વિરામ રે,
સહે નહિ હવે લોકો, સરકારી દબાણ રે;
ભરવું નૈ’ મહેસૂલ, ચોખ્ખી થયેલ જાણ રે,
સભા વલ્લભભાઈની, નડિયાદ ભરાય રે;
દૃઢ વિચારના લોકો, રાજશોભા ગણાય રે,
પ્રણને ન શકે પાળી, એનું આમાં ન કામ રે;
સત્યાગ્રહ લડાઈ છે, એમાં ઊંઘ હરામ રે,
ખોટી રીતે ભરે નૈ’ જે, સાહેબોને સલામ રે;
ખંતથી વીર જોડાવ, લડતમાં તમામ રે,
**
સહુને સમજાવીને, ટેકની સત્ય કિંમત,
આગેવાનો રહે દેતા, લોકોને ખૂબ હિંમત.
(ક્રમશ:)