માણસ...
માણસ...
હાથમાં રોલેક્સ શું પહેરી કેટલાય આખા બળી ગયા..
હાથ જોડી નમાવાવાળા બહારથી સલામ ભરી ગયા...
મંદિરમાં જઇ માગતા ને પત્થરો એટલા દેવ પૂજતાં..
લક્ષ્મીની લીલામાં નારાયણને જ ક્યાંક વિસરી ગયા...
ભાવ અને પ્રેમની ભૂખ સાથે થોડી માણસાઇ હતી..
હવે શું કહું આજકાલ માણસોનું એ બજાર ભરી ગયા...
કર્મોની ગતિ ને વિધિના લેખમાં અમે ક્યાં માનતા..?
કરેલું ફોગટ નહી જાય, આ એક ચુકાદાને સરી ગયા...
હાથની રેખાઓની અસર આ "જગત"માં જોઇ અમે..
એટલે જ આજ રામના નામે પત્થર પણ તરી ગયા...!