કવિની માયાજાળ
કવિની માયાજાળ
જો જો જતાં ન ફસાય, આ કવિની માયાજાળ છે,
શી ખબર ! કયાં ડુબાય, આ કવિની માયાજાળ છે.
કાન રાખજો ખુલ્લા ને મન રાખજો મેદાનમાં,
જશે શબ્દ અથડાય, આ કવિની માયાજાળ છે.
હશે અજવાશ અંધકારમાંયે સામે તમારી,
ત્યાં સડસડાટ જવાય, આ કવિની માયાજાળ છે.
ગમે તે ઋતુ હોય, રાખે હવા ખુશનુમા,
ત્યાં જતાં મન મલકાય, આ કવિની માયાજાળ છે.
‘સાગર’ એમાં ધ્યાન ધરો તો સમાધિ પણ લાગે,
બીજી દુનિયા પણ દેખાય, આ કવિની માયાજાળ છે.