કોઈ કંઈ જ નથી કહેતું
કોઈ કંઈ જ નથી કહેતું
કાનુડાને કોઈ કંઈ જ નથી કહેતું
માખણ ચોરનારને કોઈ કંઈ જ નથી કહેતું,
ભલે તે ચરાવતો અમારી ગાયો
તે વાંસળી વગાડીને મંત્રમુગ્ધ કરી દે છે તોય કોઈ કંઈ જ નથી કહેતું,
રાધા ને પ્રેમ કરીને લગ્ન નથી કરતો
અને ૧૬૧૦૮ રાણી બનાવે તો કોઈ કંઈ જ નથી કહેતું,
ભલે યાદ હતી એને સુદામાના તાંદુલ
પણ નરસિંહ મહેતા અને મીરાં બાઈની ભક્તિ યાદ ન રહે તો
કોઈ કંઈ જ નથી કહેતું.