વિનાશકાળે વિપરીત બુદ્ધિ
વિનાશકાળે વિપરીત બુદ્ધિ
થવાનો હોય જ્યારે કોઈ સર્વનાશ,
કામ પડવા લાગે માથે જાણે સત્યાનાશ,
થાય અહીં જીવનમાં કિસ્મતનો પર્દાફાશ,
ખુશીઓ ન મળે ને માણસ થાય નિરાશ,
મનમાં જગાડે ત્યારે તે કોઈ પણ આશ,
ચડ્યો જો ખોટા રસ્તે તો થાય વિનાશ,
"વિનાશકાળે વિપરીત બુદ્ધિ"નો થાય આભાસ,
આવવું પડે બીજાની વાત માની મૂકીને વિશ્વાસ,
સરળ બને જીવન ને આવે જીવનમાં ઉજાસ,
આ જ કારણે ચાલે છે મારાં જીવનમાં શ્વાસ !