આથમતી સંધ્યાએ
આથમતી સંધ્યાએ
આથમતી સંધ્યાએ મને વિચાર આવ્યો,
એક નવી કલ્પના કરવાનો ખ્યાલ નવો આવ્યો,
જીવનમાં સુખી થવા એક નવી શાંતી જોઈએ,
કશુંક કરવા માટે જીવનમાં ઉત્સાહ જોઈએ,
મહેનત અને ખંતથી સપનું એક નવું રચાય,
તેને સાકાર કરવા માટે પરસેવાનું પાણી થાય,
સવારથી સાંજ જાણે કામમાં વિલુપ્ત થાય,
સાંજે થાક લાગે જાણે આરામ કરવા મન પરોવાય,
આથમતી સંધ્યાએ ત્યારે મને સુરજ દેખાય,
એક અગનનો ગોળો જાણે ઠંડો થઈ જાય,
રાતની ચાંદની માટે જાણે આકાશમાં જગ્યા થાય,
આ સંધ્યા સમયે જાણે આકાશમાં તેની હાજરી પૂરાય !