જીકે અંતાક્ષરી 54
જીકે અંતાક્ષરી 54
(૧૬૦)
મદુરાઈમાં મીનાક્ષી મંદિર,
રેશમ વણાટ ને હેન્ડલૂમ ઉદ્યોગ;
ગયામાં ભગવાન બુદ્ઘને થયો,
જ્ઞાનપ્રાપ્તિનો અણમોલ સંજોગ.
(૧૬૧)
ગ્વાલિયરમાં લક્ષ્મીબાઈની છત્રી,
તાનસેનની છે ત્યાં સમાધિ;
અલાહાબાદમાં ત્રિવેણીસંગમ છે,
ત્યાં સ્નાન કરી ભક્તો ભૂલે ઉપાધિ.
(૧૬ર)
ધારીવાલ શહેર પંજાબમાં,
ઊન ઉદ્યોગથી પ્રસિદ્ઘ થયેલ;
હરદ્વારને હિંદુ લોકોએ,
‘ઈશ્વરનું પ્રવેશદ્વાર’ ગણેલ.
(ક્રમશ:)