જે પરમાત્માને જાણે
જે પરમાત્માને જાણે
જે પરમાત્માને જાણે
જે પરમાત્માને જાણે એ અમૃતરસને માણે,
જે અંદર દષ્ટિ વાળે,
વિષયોના રસને મારે,
તે કૃતાર્થ થાયે પ્રીત કરીને;
પરમાત્માના ધ્યાને... જે પરમાત્માને.
ના પ્રલોભને અટવાયે,
સિદ્ધિમાં કદી ફસાયે,
તે મક્કમ મનથી ધપે ધ્યેય પ્રતિ;
એક અલૌકિક તાને... જે પરમાત્માને.
જ્યોતિમાં જ્યોત સમાયે,
બુદ્ બુદ્ વારિમાં વિલાયે,
સંગીત તણો સ્વર શમે છેવટે;
શાંત સનાતન ગાને... જે પરમાત્માને.
- શ્રી યોગેશ્વરજી (કાવ્યસંગ્રહ 'આરતી'માંથી)