અંક
અંક
અંકથી ન આંકી શકાય એક માણસને,
કર્મથી આંકી શકાય કોઈ પણ માણસને,
શા માટે મહત્વ અપાય છે પરીક્ષામાં અંકોને,
માણસને ન સરખાવોને બીજા માણસ જોડે,
કળાઓ છીનવાઈ જાય છે અંકને લીધે,
પ્રથમ, બીજા અને ત્રીજાના સંગને લીધે,
ઓછું કરે છે અંક માણસનું સમ્માન,
જ્યારે પૂછવામાં આવે તેને અંકનો પગાર,
અંકની મારામારી શા માટે દુનિયામાં આવી ?
દિવસ ગણવા કે કાપવા એક નવી મગજમારી ?
