અદાલત
અદાલત
કોઈ કહેશો કે આ અદાલત કોણે સ્થાપી
નિર્દોષને ફાંસી ને દોષીને મુક્તિ એણે આપી,
ખુદ ન્યાય આપનારે નજરે નિહાળ્યું હત્યા થતા
છતાં પુરાવાના અભાવે દોષીને સજા ન આપી,
તોળાતો હતો ન્યાય ત્રાજવાના તોલે
વેચાતો મળે છે એ ન્યાય રૂપિયા આપી,
સાચા નું ખોટું ને ખોટાનું સાચું કરનારને
અદાલતમાં વકીલની નોકરી આપી.