આહાર, વાણી, વર્તન
આહાર, વાણી, વર્તન
આહાર વિચાર તણી આ કૃતિ
આહાર જે લે પૂરતો, જેવી જેની પ્રકૃતિ,
આહાર જો વધુ લેવાય, પરિણમે વિકૃતિ,
આહાર લેવો થોડો ઓછો, એજ સંસ્કૃતિ,
કોઈની વાણીમાં સો સો શૂળ,
હોઈ શકે સત્યનું એ મૂળ,
કે પછી હે પ્રભુ, એ તારી ભૂલ ?
કોઈની વાણીમાં સો સો ફૂલ
હોઈ શકે સ્વાર્થનું એ મૂળ,
કે પછી હે પ્રભુ, એજ અનુકૂળ ?
વાણી પ્રમાણે વર્તન ન થાય તો,
વાણીની કિંમત કશી નથી,
વાણીના વચન પળાય તો,
વચનની કિંમત કશી નથી,
વાણીમાં વચન ન સમાય તો,
વાણીની કિંમત કશી નથી,
વાણી ને વર્તનનું મિલન થાય તો,
વચની જરુર કશી નથી.