દાન
દાન
તુરંત દાન મહાપુણ્ય ! દાનના પ્રકાર ચાર
પહેલું દાન અન્નદાન જેમાં અપાય આહાર,
બીજુ દાન ઔષધદાન સ્વાસ્થ્ય એમાં અપાર
ત્રીજુ દાન જ્ઞાનદાન જે બનાવે સૌને હોંશિયાર
ચોથું દાન અભયદાન પછી ન કોઈ ગભરાય,
શાસ્ત્રોમાં પ્રચલિત દાનના પ્રકાર અગિયાર
અન્નદાન, અભયદાન, દ્રવ્યદાન, ગોદાન
ભૂમિદાન, વસ્ત્રગાળ, જ્ઞાનદાન, ધર્મદાન
પ્રાણદાન, ઘનદાન અને કન્યાદાન
અરે આ કેવું દાન ? જે છે નાદાન !
લગ્નમાં કરાય કન્યાદાન, નથી એ કન્યાનું દાન,
કોણ કરે પોતાની પુત્રીનું દાન ? એ તો છે ગોત્રદાન.
એમાં તો પિતા કરે પોતાનું ગોત્ર અગ્નિમાં દાન,
જ્યારે કન્યા કરે પતિના ગોત્રમા પ્રસ્થાન.
લગ્નમાં ભલે હોય વર પણ નથી વરદાન
વરદાન નથી મળતું સસ્તામાં, મોંઘું એનું સ્થાન.
દાન કરે એ દાનેશ્વરી કહેવાય, કર્ણ એનું નામ,
અરે ન મળ્યું કર્ણને પણ મોંઘેરુ જીવત્દાન,
કૃષ્ણએ આપ્યું કર્ણને અંતિમ સંસ્કાર વરદાન.
દાન કરવું એજ છે જીવનનું સૌથી મોટું યોગદાન.