સુખનો સૂરજ
સુખનો સૂરજ
કોઈ મારી ભીતરે હરખાય છે,
ને પછીથી આંસુ થઇ છલકાય છે.
લાગણીઓ જેમને સમજાય છે,
એ જીવનમાં કો'દી ના પસ્તાય છે.
એજ માનવને જીવન સમજાય છે,
જે અહીં દુઃખમાં સદા મલકાય છે.
સુખનો સૂરજ અસ્ત જ્યારે થાય છે,
દોસ્તો ત્યારે જ તો પરખાય છે.
જે જીવનમાં કષ્ટ દે ખુદને સદા,
એજ માનવનો અહીં જય થાય છે.