ગિરિરાજ
ગિરિરાજ
ટચલી આંગળિયે ગિરિરાજને ધારણ કરનાર છે કૃષ્ણ,
ભરી સભામાં સખી દ્રૌપદીના ચીર પૂરનાર છે કૃષ્ણ,
મથુરાના કારાવાસમાં રાખ્યા'તા દેવકી- વાસુદેવને,
મામા કંસને પાપોની સજા દઇ હણનાર છે કૃષ્ણ,
ગોપ-ગોપીઓના દિલમાં સદાય સ્થાન પામ્યા,
ગોકુળ ગામના સર્વે લોકના તારણહાર છે કૃષ્ણ,
મહાભારતના યુધ્ધમાં હથિયાર ન ધારણ કર્યું,
અર્જુનનાં રથના સારથી બની જીતાડનાર છે કૃષ્ણ,
સંકટમાં સાંભળે સૌની પુકારને પહોંચી જાય મદદમાં,
રુકમણીનો પત્ર વાંચીને હરણ કરનાર છે કૃષ્ણ .