Ignite the reading passion in kids this summer & "Make Reading Cool Again". Use CHILDREN40 to get exciting discounts on children's books.
Ignite the reading passion in kids this summer & "Make Reading Cool Again". Use CHILDREN40 to get exciting discounts on children's books.

YATHARTH GEETA

Classics

2  

YATHARTH GEETA

Classics

યથાર્થ ગીતા - ૩૭

યથાર્થ ગીતા - ૩૭

1 min
423


યથાર્થ ગીતા

શ્ર્લોક-૩૭

तस्मान्नार्हा वयं हन्तुं धार्तराष्ट्रान्स्वबान्धवान्।स्वजनं हि कथं हत्वा सुखिनः स्याम माधव।।३७।।

અનુવાદ માટે હે માધવ!પોતાના બાંધવ એવા ધુતરાષ્ટ્ર પુત્રોને હણવા અમારી માટે યોગ્ય નથી; કેમકે સ્વજનોને મારી અમે કેવી રીતે સુખી થઈશું ?

સમજ: તેથી હે માધવ, અમારા પોતાના જ બંધુ એવા ધુતરાષ્ટ્ર પુત્રોને હણવા અમારે માટે યોગ્ય નથી. પોતાના બંધુઓ કેવી રીતે ? તે તો શત્રુ નહોતા ? વાસ્તવમાં શરીરના સંબંધો અજ્ઞાનથી ઉત્પન્ન થાય છે. આ મામા છે, આ સસરા છે, સ્વજન સમુદાય છે આ બધું જ અજ્ઞાન જ છે. શરીર નશ્વર છે, તો આ સંબંધો ક્યાં રહેવાના? મોહ છે ત્યાં સુધી સ્નેહીજન છે, આ પરિવાર છે, આપણી દુનિયા છે. હું મોહ નથી કાંઈ પણ નથી.

આથી જ તો શત્રુ પણ અર્જુનને સ્વજન દેખાય છે. તે કહે છે કે પોતાના કુટુંબનું મારીને અમે કેવી રીતે સુખી થઈએ ? અજ્ઞાન અને મોહ ન રહે તો કુટુંબનું અસ્તિત્વ પણ ન રહે. આ અજ્ઞાન જ્ઞાનનું પ્રેરક પણ છે. ભર્તુહરિ, તુલસીદાસ વગેરે અનેક મહાનુભાવોને વૈરાગ્યની પ્રેરણા પત્ની પાસેથી મળી, તું કોઈ અપરમાના વહેવારથી ખિન્ન બનીને વૈરાગ્યના માર્ગ પર ચાલી નીકળ્યા હોવાનું દેખાય છે.

(ક્રમશ)


Rate this content
Log in