યથાર્થ ગીતા ૨-૩૦
યથાર્થ ગીતા ૨-૩૦


देही नित्यमवध्योऽयं देहे सर्वस्य भारत।
तस्मात्सर्वाणि भूतानि न त्वं शोचितुमर्हसि।।३०।।
અનુવાદ : હે ભારત! સર્વ ના શરીરમાં આ દેહધારી આત્મા સદા હણાય નહીં એવો છે; તેથી સર્વ પ્રાણીઓનો શોક કરવો તારે માટે યોગ્ય નથી.
સમજ: હે અર્જુન ! આત્મા બધાના શરીરમાં અવધ્ય છે, અકાટ્ય છે. માટે પ્રાણીમાત્ર માટે શોક કરવો યોગ્ય નથી.
આત્મા જ સનાતન છે આ વાતનું અહી પ્રતિપાદન કરતાં આ પ્રશ્ન અહીં પૂરો થઈ જાય છે. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે આના પ્રાપ્તિ કઈ રીતે થાય ?ગીતામાં આ માટે બે જ માર્ગ છે-પહેલો નિષ્કામ કર્મયોગ અને બીજો જ્ઞાનયોગ. બંને માર્ગ એ કરેલાં કર્મો એકજ છે. કર્મની અનિવાર્યતા પર ભાર મૂકીને યોગેશ્વર શ્રીકૃષ્ણ જ્ઞાન યોગની બાબતમાં કહે છે કે,
ક્રમશ: